July 22, 2012


રબરથી કેવી રીતે ભૂંસાય છે સાયન્સ ટોક

ત મે કોઈ પણ એક ચીજને બીજી ચીજ સાથે ઘસો ત્યારે એક ચીજના બારીક કણો, બીજી ચીજના બારીક કણોને ઉપાડી લે છે. જ્યારે તમે પેન્સિલથી લખેલાં કે દોરેલાં લખાણો કે આકૃતિઓ પર રબર ઘસો છો ત્યારે આવી જ પ્રક્રિયા થાય છે. રબર એ રબર નામના ઝાડમાંથી બનેલું હોય છે જ્યારે પેન્સિલ એ ગ્રેફાઈટમાંથી બનેલી છે. ગ્રેફાઈટ એ કાર્બનનો બનેલો છે, જે કાળો અને તૈલી છે. જ્યારે તમે રબરને ગ્રેફાઈટની સપાટી પર ઘસો છો ત્યારે ગ્રેફાઈટના કણો રબર પર ચોંટી જાય છે, પરિણામે કાગળ તમને સાફ થયેલો લાગે છે અને રબર કાળું થયેલું લાગે છે. એ જ રબરને તમે કોઈ પણ સપાટી પર ઘસશો ત્યારે ફરીથી રબર પણ ચોખ્ખું થઈ જશે. 
sorce : sandesh

ફટાફટ નકલો કાઢતું ઝેરોક્ષ મશીન સાયન્સ ટોક

આ પણે અત્યારે ડગલે ને પગલે ઝેરોક્ષ નકલો કાઢવાની જરૂર પડે છે. આપણને જોઈતા કાગળની ઝેરોક્ષ કોપી આપણને તરત જ મળી જાય છે. જોકે, ખરેખર તો આનું નામ ઝેરોક્ષ કોપી નહીં પણ ફોટોકોપી છે. શું ક્યારેય વિચાર્યું છે કે સેકન્ડોમાં એકની અનેક કોપીઓ આપણને આપી શકતું મશીન કામ કેવી રીતે કરતું હશે? તો ચાલો અહીં આપણે જાણીએ કે ફોટોકોપી મશીન કેવી રીતે કામ કરે છે.
આ ફોટોકોપી મશીનમાં સ્થિર વીજળીનો સિદ્ધાંત કામ કરે છે. આ વીજળી નેગેટિવ અને પોઝિટિવ ચાર્જીસથી ઉત્પન્ન થાય છે. જેમાં પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જીસ લોહચુંબક તરીકે કામ કરે છે. તે કાળા પાઉડરને આકર્ષે છે, જેને ઝેરોક્ષ મશીનનું ટોનર કહેવામાં આવે છે. આ પાઉડર નવા કાગળ પર ત્યાં જ ચોંટે છે કે જ્યાં શબ્દો લખાયેલા હોય કે ચિત્રાંકન કરેલું હોય છે અને એ રીતે ઝેરોક્ષ કોપી નીકળે છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે, ઝેરોક્ષ થતી હોય ત્યારે પ્રકાશનો તેજ લિસોટો પડતો દેખાય છે. ખરેખર તો જેના પર પ્રકાશ રેલાય છે તે પાનાની છાપ સિલેનિયમ કોટેડ સિલેન્ડ્રીકલ ડ્રમ પર લેન્સના માધ્યમથી ઝિલાય છે. ડ્રમમાં ખાસ પ્રકારની શાહી ભરવામાં આવે છે. આ શાહી મેઈન કાગળ પરના અક્ષરોને નીચેના કોરા કાગળ પર ઉતારી દે છે. જેને ફોટોકોપીની પ્રક્રિયા કહેવામાં આવે છે. પહેલાં માત્ર બ્લેક અને વ્હાઈટ જ ઝેરોક્ષ નીકળતી હતી પણ પછી સમયાંતરે રંગીન ફોટોકોપી પણ નીકળવા લાગી. આ મશીનની શોધ કરવાનું શ્રેય જેમ્સ વોટને આપવામાં આવે છે. વોટે ૧૭૭૯માં પ્રાથમિક તબક્કાના ફોટોકોપી મશીનની શોધ કરી હતી. ત્યાર પછી તો ધીરે ધીરે તેમાં ફેરફારો આવતા ગયા. ૧૯૫૦માં સૌપ્રથમ વખત કલર ફોટોકોપી નીકળે એવું મશીન વિકસાવવામાં આવ્યું હતું. અત્યારે તો આમાં ઘણાં પરિવર્તનો સતત આવતાં રહે છે પણ મજાની વાત એ છે કે જેને આપણે ઝેરોક્ષ મશીન કહીએ છીએ કે ઝેરોક્ષ કોપી કહીએ છીએ એ તો મશીન બનાવતી એક કંપનીનું નામ હતું. પછીથી આ જ નામ ફોટોકોપીની ઓળખાણ બની ગયું.
sorce : sandesh

ફાઈલને Docમાંથી PDF કે PDFમાંથી Doc બનાવો

કમ્પ્યુટર નોલેજ
આ પણને ઘણી વાર Docમાંથી PDF ફાઈલ બનાવવાની જરૂર પડતી હોય છે, એ જ રીતે વળી PDFમાંથી Doc ફાઈલ પણ બનાવવી પડે છે. જ્યારે આવી જરૂર પડે ત્યારે સાવ સરળ રીતે તમે આ પ્રક્રિયા કરી શકો એવી એક બે સરળ પદ્ધતિઓ અહીં આપણે શીખી લઈએ. જો તમારે અવારનવાર આવી રીતે ફાઈલને કન્વર્ટ કરવાની જરૂર જણાતી હોય તો ઓનલાઈન ઘણાં સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેને તમે ડાઉનલોડ કરીને વારંવાર ઉપયોગમાં પણ લઈ શકો છો. તો વળી, જો ક્યારેક જ આ પ્રક્રિયા કરવાની થતી હોય તો સોફ્ટવેર ડાઉનલોડ ન કરીને પણ ઓનલાઈન સાવ ઈઝી તમેDocમાંથી PDF કે PDFમાંથી Doc ફાઈલ બનાવી શકો છો.
http://www.primopdf.com નામની એક વેબસાઈટ છે જેમાંથી તમે સોફ્ટવેર ઈન્સ્ટોલ તો કરી જ શકો છો પણ ઓનલાઈન આ પ્રક્રિયા પણ કરી શકો છો.
આ વેબસાઈટ પર જઈને તમારે માત્ર જે ફોર્મેટમાંથી ફાઈલને અન્ય ફોર્મેટમાં કન્વર્ટ કરવી હોય તેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાર પછી તમારા કમ્પ્યુટરમાં જ્યાં ફાઈલ પડી હોય ત્યાંથી તેને આ વેબસાઈટ પર પસંદ કરવાનો એક વિકલ્પ હશે જે પસંદ કરવાનો રહેશે.
આટલું થશે એટલે વેબસાઈટ પર તમારું ઈ-મેલ એડ્રેસ આપવાનું અને ફાઈલ કન્વર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે તમારું ઈ-મેલ ચેક કરશો તો તેમાં કન્વર્ટ થયેલી ફાઈલનો મેલ આવી ગયો હશે. આ બધી પ્રક્રિયામાં સાવ જ ઓછો સમય લાગશે. તમારા મેલમાં આવેલી ફાઈલ તમે ડાઉનલોડ કરીને સાચવી પણ શકો છો.
આ જ વેબસાઈટ પરથી જો તમે સોફ્ટવેર ડાઉનલોડ કરી લેશો પછી કોઈ પણ ફોર્મેટની ફાઈલ કન્વર્ટ કરવી હોય તો પણ એકદમ સરળ છે. જે તે ફાઈલને પેલા સોફ્ટવેર પર લઈને મૂકી દેશો એટલે કશી જ પ્રક્રિયા વિના ફાઈલ કન્વર્ટ થઈ જશે.
અન્ય એક વેબસાઈટ www.pdfonline.com પર પણ આવી જ એક સવલત ઉપલબ્ધ છે. જેમાં તમારે માત્ર શું કન્વર્ટ કરવું છે તે ઓપ્શન સિલેક્ટ કરીને પછી કન્વર્ટની પ્રોસેસ કરવાની રહેશે. પ્રોસેસ થઈ જાય પછી રાઈટ ક્લિક કરીને તમે તમારા ફોલ્ડરમાં તેને સેવ પણ કરી શકો છો.
આટલી સરળ પ્રોસેસ કરવામાં આવે તો તમારી ફાઈલ કોઈ પણ મુશ્કેલી વગર કન્વર્ટ થઈ જશે. 
sorce : sandesh  

જેમની પાસે નિવૃત્તિ પછી કાર ખરીદવાના પૈસા ન હતા! ડો. રાજેન્દ્ર પ્રસાદ

પહેલા રાષ્ટ્રપતિ
જન્મ    
૩ ડિસેમ્બર ૧૮૮૪
મૃત્યુ     
૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩
રાષ્ટ્રપતિકાળ
૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ૧૩ મે ૧૯૬૨

                પછાત મનાતા બિહારે દેશને પહેલા રાષ્ટ્રપતિ આપ્યા છે. રાજેન્દ્રપ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જીરાદેઈ ગામે થયેલો. તેમના પિતા મહાદેવ સહાય હતા અને માતા કમલેશ્વરી દેવી હતાં. મહાદેવ ઘોડેસવારી અને પહેલવાનીના શોખીન હતા. સંસ્કૃત અને ફારસી ભાષાના પણ એવા જ વિદ્વાન. તેમની વિદ્વત્તા સ્વાભાવિક રીતે રાજેન્દ્રમાં ઊતરી. રાજેન્દ્ર પ્રસાદને એક ભાઈ અને ૩ બહેનો હતી. રાજેન્દ્રબાબુ સૌથી નાના હતા.
નાના-મોટા કામ કરતાં રાજેન્દ્ર બાબુ જાહેર જીનનમાં સક્રિય થયા. ગાંધીજી સાથે પણ મુલાકાત થઈ અને તેઓ ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા. લડતમાં સંકળાયેલા હોવાથી ૧૯૪૨માં તેમને ૩ વર્ષ માટે જેલ પણ જવું પડયું. જેલમાં રહીને તેમણે પોતાનું પ્રખ્યાત 'ઇન્ડિયા ડિવાઈડેડ' નામનું પુસ્તક લખી નાખ્યું.
૧૯૫૦નું વર્ષ રાજેન્દ્ર બાબુનો ભાગ્યોદય લઈને આવ્યું. એ વખતે રાષ્ટ્રપતિ કોણ બને એ ગડમથલ ચાલતી હતી. વળી ત્યારે આજની જેમ નેતાઓ રાષ્ટ્રપતિ બનવા માટે લાઈન લગાવી ઊભતા નહીં. પરિણામે સરળતાથી કોઈ ઉમેદવાર મળતો ન હતો. એ વખતે સબ દુઃખો કા એક ઈલાજ જેવા ગાંધીજીની સલાહ લેવાઈ એટલે એમણે સીધું જ રાજેન્દ્રપ્રસાદનું નામ આપી દીધું. પરિણામ? ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ સવારે ૧૦:૧૫ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ૩૧ તોપોની સલામી અપાઈ.
નહેરુ જોકે પહેલી વખત રાજગોપાલાચારી અને બીજી વખત ૧૯૫૭માં રાધાકૃષ્ણન્ને રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા. પણ ડો. પ્રસાદની અભૂતપૂર્વ લોકપ્રિયતા સામે નહેરુની ઇચ્છા ટકી શકી નહીં અને તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. સર્વનામુતે જ તેમણે ૧૨ વર્ષ, ૩ મહિના અને ૧૮ દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં ગુજાર્યાં. બે વખત રાષ્ટ્રપતિ બનનારા તેઓ એકમાત્ર રાષ્ટ્રપતિ છે. નહેરુ અને રાજેન્દ્રબાબુ વચ્ચેનો વૈચારિક મતભેદ જાણીતો છે. એકદમ વેસ્ટર્ન ટ્રેન્ડમાં રહેનારા નહેરુને સીધા-સાદા રાજેન્દ્રબાબુ સાથે બહુ મેળ ન પડે એ સ્વાભાવિક છે. પણ રાષ્ટ્રપતિ હોવાને કારણે નહેરુ તેમને કશું કરી શકે એમ ન હતા. અલબત્ત, રાજેન્દ્ર પ્રસાદ નિવૃત્ત થયા પછી નહેરુએ પોતાનો રોષ ઉતાર્યો. નિવૃત્તિ પછી રાજેન્દ્ર બાબુ ઇચ્છત તો આલીશાન સરકારી મકાન લઈ શકત, પણ તેમણે પટણાના એક આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. દેશનો એક પણ રૂપિયો ખોટો વપરાય એ એમને પસંદ ન હતું. રાષ્ટ્રપતિ તરીકે તેમને દસ હજાર પગાર મળતો જેમાંથી તેઓ એક હજાર જ સ્વીકારતાં હતા. માટે તેમની આર્થિક સ્થિતિ ખાસ સમૃદ્ધ ન હતી. ૧૯૬૨માં નિવૃત્ત થઈ તેઓ પોતાના વતનમાં રહેવા ચાલ્યા ગયા. તેમને દમનો રોગ હોવાથી હરવા-ફરવા માટે એક મોટર ખરીદવી હતી. પણ નવી મોટર ખરીદી શકાય એટલા પૈસા તેમની પાસે ન હતા. પરિણામે તેમણે નહેરુને વિનંતી કરી કે વડાપ્રધાન તરીકે તમે જો મોટર પરની એક્સાઈઝ ડયૂટી માફ કરી દો તો હું મોટર ખરીદી શકું. નહેરુએ રાજેન્દ્ર પ્રસાદની વિનંતી માન્ય ન રાખી અને રાજેન્દ્રબાબુએ જૂની મોટર ખરીદવી પડી.
તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં કથા કરતાં!
* તેઓ રોજ સ્નાન કરીને જમતાં પહેલાં રામચરિત માનસના અંશોનું પઠન કરતા. એ ક્રમ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પણ જાળવી રાખેલો.
* અડધી શતાબ્દી ઊજવી રહેલી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થાપનાનો આડકતરો યશ પણ રાજેન્દ્રબાબુને જાય છે. બિહારના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા ત્યારે તેમણે પ્રોડયુસર વિશ્વનાથ પ્રસાદને સૂચન કર્યું કે આપણી ભોજપુરી ભાષામાં શા માટે ફિલ્મ નથી બનાવતા? વિશ્વનાથે રાજેન્દ્ર પ્રસાદની વાત પકડીને ૧૯૬૩માં પહેલી ફિલ્મ રિલીઝ કરી અને એ સાથે જ ભોજપુરીમાં ફિલ્મો બનતી થઈ.
* બ્રિટિશ રાણી એલિઝાબેથ ૧૯૬૧માં ભારત આવ્યાં ત્યારે તેમણે રાજેન્દ્ર પ્રસાદનાં પુસ્તકો જોઈને પૂછયું કે, આટલો બધો સમય તમને ક્યાંથી મળ્યો? ત્યારે રાજેન્દ્રબાબુએ જવાબ આપ્યો કે હું તમારા પિતાની જેલમાં ૧૬ વર્ષ રહ્યો છું એટલે લખવાનો ઘણો સમય મળ્યો છે. sorce : sandesh